આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ- માત્ર 30 રૂપિયામાં બનાવડાવો, અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવો
આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ- માત્ર 30 રૂપિયામાં બનાવડાવો, અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવો
સરકારે શરુ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર 30 રૂપિયામાં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવડાવીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકાય છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલું છે, જેમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ બનાવવું અનિવાર્ય છે. કાર્ડ બન્યા પછી જ તેમની સારવાર આ યોજના અંતર્ગત થઇ શકશે. આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારના લગભગ 50 કરોડ લોકો સામેલ છે, જેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.
અહીં બનશે ગોલ્ડન કાર્ડ –
એવું નહિ થાય કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે. જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો અબધના જ કાર્ડ અલગ-અલગ બનશે. કોમન સર્વિસ સેન્ટર સિવાય આ કાર્ડ હોસ્પિટલમાં પણ બની જશે, અહીં કાર્ડ મફતમાં બનશે. સામાન્ય રીતે લોકો બીમાર થવા પર જ હોસ્પિટલ જાય છે, એટલે બીમાર થતા પહેલા જો કાર્ડ બનાવવું છે તો કોમન સર્વિસ સેન્ટર જવું પડશે.
પ્રધાનમંત્રી મોકલી રહયા છે પત્ર –
આયુષ્માન યોજનાના બધા જ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ખુદ એક પત્ર મોકલી રહયા છે, જેમાં QR-code આપવામાં આવ્યો છે. QR-code હોવાથી હોસ્પિટલમાં તમારી ઓળખ આસાનીથી થઇ જશે. બધા જ લાભાર્થીઓનો QR-code જુદો-જુદો હશે. આ પછી હોસ્પિટલમાં તમારી ઓળખ થયા બાદ લાભાર્થી પરિવારને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે, જે તમને ખૂબ જ કામ આવશે.
કઈ બીમારીઓની થશે સારવાર –
આયુષ્માન યોજના અંતર્ગત 1300થી વધુ બીમારીઓની સારવાર કરવામાં આવશે, જેમાં કેન્સર, હૃદયની બીમારી, કિડની, લીવર, ડાયાબિટીસ સહીત બીજી ઘણી બીમારીઓનો સમાવેશ થાય છે. આ સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. જેમાં તપાસ, દવા, સારવાર અને દાખલ થવાનો અને એ પછીનો બધો જ ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય પહેલાથી જે બીમારી થઇ છે એને પણ કવર કરવામાં આવશે.
સરકારે શરુ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર 30 રૂપિયામાં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવડાવીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકાય છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલું છે, જેમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ બનાવવું અનિવાર્ય છે. કાર્ડ બન્યા પછી જ તેમની સારવાર આ યોજના અંતર્ગત થઇ શકશે. આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારના લગભગ 50 કરોડ લોકો સામેલ છે, જેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.
અહીં બનશે ગોલ્ડન કાર્ડ –
એવું નહિ થાય કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે. જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો અબધના જ કાર્ડ અલગ-અલગ બનશે. કોમન સર્વિસ સેન્ટર સિવાય આ કાર્ડ હોસ્પિટલમાં પણ બની જશે, અહીં કાર્ડ મફતમાં બનશે. સામાન્ય રીતે લોકો બીમાર થવા પર જ હોસ્પિટલ જાય છે, એટલે બીમાર થતા પહેલા જો કાર્ડ બનાવવું છે તો કોમન સર્વિસ સેન્ટર જવું પડશે.
પ્રધાનમંત્રી મોકલી રહયા છે પત્ર –
આયુષ્માન યોજનાના બધા જ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ખુદ એક પત્ર મોકલી રહયા છે, જેમાં QR-code આપવામાં આવ્યો છે. QR-code હોવાથી હોસ્પિટલમાં તમારી ઓળખ આસાનીથી થઇ જશે. બધા જ લાભાર્થીઓનો QR-code જુદો-જુદો હશે. આ પછી હોસ્પિટલમાં તમારી ઓળખ થયા બાદ લાભાર્થી પરિવારને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ આપવામાં આવશે, જે તમને ખૂબ જ કામ આવશે.
કઈ બીમારીઓની થશે સારવાર –
આયુષ્માન યોજના અંતર્ગત 1300થી વધુ બીમારીઓની સારવાર કરવામાં આવશે, જેમાં કેન્સર, હૃદયની બીમારી, કિડની, લીવર, ડાયાબિટીસ સહીત બીજી ઘણી બીમારીઓનો સમાવેશ થાય છે. આ સારવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. જેમાં તપાસ, દવા, સારવાર અને દાખલ થવાનો અને એ પછીનો બધો જ ખર્ચનો સમાવેશ થાય છે. આ સિવાય પહેલાથી જે બીમારી થઇ છે એને પણ કવર કરવામાં આવશે.
Comments
Post a Comment